ગુજરાતમાં લગભગ 9.5 લાખ જન ધન એકાઉન્ટ્સ છે. જ્યારે હાલમાં જ જાહેર થયેલા SLBCના ક્વાર્ટર રિપોર્ટ પ્રમાણે, 8 નવેમ્બરે નોટબંધીના નિર્ણય બાદ ગુજરાતમાં જન ધન એકાઉન્ટ્સમાં ડિપોજીટનું પ્રમાણ ખાસું વધ્યું છે. SLBCના 30 નવેમ્બર સુધીના રિપોર્ટ પ્રમાણે નોટબંધી બાદ જન ધન એકાઉન્ટ્સમાં 3692 કરોડ રૂપિયા જમા થયા છે. જોવા જઇએ તો નોટબંધી બાદ આ આંકડો ડબલ કરતાં પણ વધું છે. નોટબંધી પહેલાં ડિપોઝીટ 1700 કરોડ રૂપિયા હતી.
ગરીબોના ખાતામાં ક્યાંથી આવે છે રૂપિયા?
નોટબંધી કાળાનાણાને બહાર લાવવા અને ભ્રષ્ટાચાર રોકવા માટે લેવાયેલો નિર્ણય છે. આ નિર્ણય બાદ IT ડિપાર્ટમેન્ટ દ્વારા બેંક એકાઉન્ટ્સ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે કાળું નાણું ધરાવતાં લોકો પોતાના રૂપિયા વ્હાઇટ કરવા માટે ગરીબ લોકોનો સહારો લઇ રહ્યાં છે. તેઓ ગરીબોના એકાઉન્ટ્સમાં રૂપિયા નાંખી રહ્યાં છે. આવા લોકો ગરીબ લોકોને કમિશન આપવાની લાલચ આપી પોતાની બ્લેક મની જન ધન એકાઉન્ટ્સમાં નાંખી રહ્યાં છે. જોકે, આઇટી ડિપાર્ટમેન્ટ દ્વારા જન ધન એકાઉન્ટ્સ પર પણ નજર રાખવામાં આવી રહી છે.
72,000 ડોરમેંટ એકાઉન્ટ
રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં 9.5 લાખ જન ધન એકાઉન્ટ્સ પૈકી 72 હજાર ડોરમેંટ એકાઉન્ટ હતા. સૌથી ચોંકાવનારી વસ્તુ એ છે કે, આ ડોરમેંટ એકાઉન્ટ્સમાં જ સૌથી વધુ પૈસા જમા થયા છે. નોટબંધી બાદ જમા કરાવવામાં આવેલા 3692 કરોડમાંથી 2000 હજાર કરોડ રૂપિયા તો ડોરમેન્ટ એકાઉન્ટ્સમાં જ જમા થયા છે.
શું છે ડોરમેંટ એકાઉન્ટ?
એવા કરન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ જેમાં છેલ્લા 24 મહિનામાં કોઇ પણ પ્રકારનું ટ્રાન્ઝક્શન કરવામાં આવ્યું ન હોય. આવા એકાઉન્ટ્સને બેંક ડોરમેંન્ટ એકાઉન્ટ ગણે છે. જેમાં વિથડ્રોલ, ડિપોઝીટ, ચેક પેમેન્ટ, ATM, નેટબેંકિંગ, ફોન બેંકિંગનો પણ સમાવેશ થાય છે.
Tags
Gujarati News