મુંબઈઃ ફૌજિયા અર્શી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ન્યૂ કમર ડિરેક્ટર હોવાની સાથે ડેઈલી મલ્ટીમીડિયા લિમિટેડ એન્ટરટેઈન્મેન્ટ કંપનીની સીઈઓ પણ છે. તેણે 'હો ગયા દિમાક કા દહીં' ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મના નિર્માતા સંતોષ ભારતીય તથા ફૌઝિયા હતી. ફિલ્મમાં કાદર ખાન સિવાય ઓમપુરી, સંજય મિશ્રા, રાજપાલ યાદવ, રઝ્ઝાક ખાન, અમિતા નાંગિયા અને ચિત્રાંશી રાવત જેવા કલાકારો હતો. આ ફિલ્મમાં કાદર ખાન લાંબા સમય બાદ જોવા મળ્યાં હતાં. divyabhaskar.com એ કાદર ખાનને લઈને ફિલ્મની ડિરેક્ટર ફૌઝિયા અર્શી સાથે વાત કરી હતી.
ફૌઝિયા સાથે થયેલી વાતચીતઃ
સવાલઃ તમે તમારી ફિલ્મ માટે કાદર ખાનને કેવી રીતે મનાવ્યાં હતાં. તેમની સાથે ફર્સ્ટ મિટિંગ અંગે જણાવો?
જવાબઃ હું જ્યારે ફિલ્મ 'હો ગયા દિમાક કા દહીં' અંગે વિચારી રહી હતી ત્યારે જ મારા મનમાં કાદર ખાનને લઈને એક ઈમ્પોર્ટન્ટ રોલ રચાઈ ગયો હતો. જ્યારે મેં લોકોને કાદર ખાન અંગે પૂછ્યું તો મને જાણવા મળ્યું હતું કે તેમની તબિયત સારી રહેતી નથી. આ દરમિયાન મને કાદર ખાનને મળવાની તક મળી ગઈ હતી. જ્યારે હું તેમને પહેલીવાર મળી ત્યારે જ મેં તેમને મારા પ્રોજેક્ટ અંગે વાત કરી હતી. મારો ઉત્સાહ જોઈને કાદર ખાન સરપ્રાઈઝ હતાં. તેમણે મને એક સવાલ કર્યો હતો કે ફિલ્મ્સ સિવાય તે તારા જીવનમાં શું કર્યું છે. આના પર મેં કહ્યું હતું કે જે રીતે તમે પહેલાં એક પ્રોફેસર હતાં, એવી જ રીતે હું એક મેનેજમેન્ટ કોલેજમાં પ્રોફસર છું. તેમણે મારી મહેનતના વખાણ કરતાં કહ્યું જો સ્ક્રિપ્ટ અને ડાયલોગ ગમશે તો આ ફિલ્મ અંગે વિચારીશ. હું નસીબદાર છું કે તેઓ મારી ફિલ્મનો હિસ્સો બન્યાં હતાં.
સવાલઃ કાદર ખાનના પરિવાર અંગે જણાવો. તેઓ કેવી રીતે તેમની સંભાળ લે છે?
જવાબઃ કાગર ખાનના પરિવારમાં તેમની પત્ની અઝરા ખાન સિવાય ત્રણ પુત્રો સરફરાઝ, શહનવાઝ તથા કુદ્દુસ છે. જોકે, પરિવારનો એક સભ્ય પણ તેમનું ધ્યાન રાખતો નથી. તેમના નોકર જ સંભાળ રાખે છે. જોકે, તેમનો ત્રીજો પુત્ર કુદ્દુસ કેનેડામાં રહે છે અને તે સારો છે. હાલમાં કાદર ખાન તેની સાથે જ રહે છે.