Flipkart પર પ્રોડક્ટ્સ નહીં વેચે વેન્ડર્સ, નવી રિટર્ન પોલીસીથી નારાજગી
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટની મુસીબતો વધતી નજરે પડી રહી છે. પ્રોડક્ટ રિટર્ન પોલીસીમાં ફેરફારથી ભડકેલા સેલર્સે ફ્લિપકાર્ટ પર પ્રોડક્ટ્સ નહીં વેચવાનો નિર્ણય કર્યો છે. સેલર્સનો આરોપ... - તેમનું કહેવું છે કે પોલીસીમાં એકતરફી ફેરફારથી ખર્ચમાં ઝડપથી વધારો થયો છે. - ઈ-સેલર્સ સુરક્ષાના પ્રવક્તાના જણાવ્યા મુજબ, રિટર્ન શિપિંગ પોલીસીમાં થનારાં ફેરફારથી સેલર્સને ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. પ્રવક્તાના કહેવા મુજબ, જો સેલર્સની ભૂલ હોય તો ફ્લિપકાર્ટ ઓર્ડર વેલ્યુની 1 ટકા રકમ વેન્ડર્સ પાસેથી વસૂલ કરતી હતી. હવે ફ્લિપકાર્ટે પ્રોડક્ટ રિટર્ન મુદ્દે સેલર્સ પાસેથી શિપિંગ ચાર્જ દૂર કરીને ફી કલેક્ટ કરવાનો નિર્ણય કર્યો છે. મોટાભાગની કેટેગરીમાં રિટર્નની રેન્જ 8 થી 10% સુધી છે. કંપનીએ વધાર્યુ સેલ્સ કમિશન - થોડા દિવસો પહેલાં ફ્લિપકાર્ટે ટ્રેડર્સ પાસેથી વસૂલવામાં આવતાં સેલ્સ કમિશનને વધારવાનો નિર્ણય કર્યો છે. - કેટલીક કેટેગરીમાં આ કમિશન 5% સુધી છે. - આ ઉપરાંત સેલર્સ પાસેથી શિપિંગ.ફી, રિવર્સ શિપિંગ ફી અને પ્રોડક્ટ રિટર્ન થવા પર ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે. - નવી પોલીસી 20 જૂનથી લાગુ થઈ શકે છે....