હવે તમારા ATM અને ડેબિટ કાર્ડથી નહી થઇ શકે ફ્રોડ, આરબીઆઇનો આ છે પ્લાન
હવે તમારા એટીએમ અને ડેબિટ કાર્ડ ઘણા સુરક્ષિત રહેશે. આરબીઆઇ એટીએમ અને ડેબિટ કાર્ડની સિક્યુરિટી સિસ્ટમમાં અનેક ફેરફારો કરવા જઇ રહી છે. જેનાથી ઓનલાઇન ટ્રાંન્ઝેક્શન ઘણા વધુ સેફ હોઇ શકે. સેફ્ટી વધારવાની સાથે સાથે આરબીઆઇ એટીએમથી મળનારી સર્વિસીઝની સંખ્યા પણ વધારવાની તૈયારીમાં છે. જેનાથી યૂઝર્સને અનેક પ્રકારની સાનુકૂળતા પ્રાપ્ત થશે
શું છે તૈયારી આરબીઆઇના પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ વિઝન 2018માં મુખ્ય રીતે ત્રણ પ્રકારની સિક્યોરિટી વધારવા પર ફોકસ છે. તેના હેઠળ ડેબિટ કાર્ડમાં ઉપયોગમાં લેવાનારી ચિપમાં અગત્યના ફેરફારો કરશે. સાથે જ બેન્ક એટીએમ પર ડિજીટલની સાથે ફિઝિકલ સિક્યોરિટી પણ વધારશે.