નમસ્કાર મિત્રો સરકાર અવનવી યોજના લાવતી હોય છે એમની એક યોજના પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના દ્વારા સરકાર ડાઇરેક્ટ ખેડૂતના ખાતામાં પૈસા જમા કરે છે. તો ચાલો જાણી લઈએ યોજના વિશે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ખેડૂતોને 2000 રૂપિયા આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (એટ્લે કે ડાઇરેક્ટ ખાતામાં) દ્વારા ખેડૂતોને પૈસા આપશે.
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થઈ રહ્યા છે. છેલ્લા લગભગ દોઢ મહિનામાં જ 8.80 કરોડ લોકોને 2-2 હજાર રૂપિયા મોકલાયા છે. બધા પૈસા DBT દ્વારા મોકલાય છે. આ યોજના હેઠળ તમામના વેરિફિકેશન થઈ શક્યા નથી. આવામાં જો તમે પણ આ યોજના સાથે જોડાવવા માંગતા હોવ તો આ માટે અરજી કરી શકો છો. જો કે અહીં તમારે કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે.
યોજના હેઠળ તમે ઘરે બેઠા અરજી કરી શકો છો. આપેલ બટન પર ક્લિક કરો
વેબસાઈટના પહેલા પેજ પર જ જમણી બાજુમાં મોટા અક્ષરે ફાર્મર કોર્નર લખ્યું છે. જો તમે જોવા માંગતા હોવ કે તમારું નામ યાદીમાં છે કે નહીં તો તમારે લાભાર્થી સૂચિ /Beneficiary list પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે રાજ્ય, જિલ્લા, ઉપ-જિલ્લા, બ્લોક અને ગામના નામ લખીને પોતાનું નામ જોઈ શકો છો.
જો તમે યોજના માટે અરજી કરી હોય અને તેની સ્થિતિ અંગે જાણવા માંગતા હોવ તો Beneficiary status પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર કે પછી મોબાઈલ નંબર નાખીને વર્તમાન સ્થિતિ જાણી શકો છો. તમે તમારી અરજીની સ્થિતિ PM-KISAN ની હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરીને પણ જાણી શકો છો. આ નંબર પર ફોન રકીને તમે એ પણ જાણી શકો છો કે આખરે અરજી કર્યા બાદ પણ તમને પૈસા કેમ નથી મળ્યા.
મિત્રો આ પોસ્ટ સારી લાગી હોય તો શેર કરવાનું ભુલશો નહીં.