બિઝનેસ ઓછો થવા અને કારોબાર નહીં થવાના કારણે કમર્ચારીઓની નોકરી જવાનો ખતરો દેખાઇ રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકાર તમારા માટે એક મોટી રાહત લઇને આવી છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયએ જાહેરાત કરી છે કે, જો આ વર્ષ માર્ચથી લઇને ડિસેમ્બરની વચ્ચે કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની નોકરી ગઇ, તો સરકાર બેરોજગારી ભથ્થું આપશે.
કેન્દ્રીય શ્રમ મંત્રાલય તરફથી જારી આદેશ અનુસાર જે લોકોની પાસે વર્કર્સ એમ્પ્લોયર સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (ESIC) કાર્ડ છે, તે તમામ આ બેરોજગારી ભથ્થાના હકદાર રહશે. એટલે કે એવી કંપનીઓ, જે વર્કર્સ એમ્પલોયર સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (ESIC) અંતર્ગત રજિસ્ટર્ડ છે. તના કર્મચારીઓ આ લાભ ઉઠાવી શકે છે. સરકારનું કહેવું છે કે, અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના (Atal Bimit Vyakti Kalyan Yojna) અંતર્ગત નોકરી ગુમાવનાર કર્મચારીઓને ભથ્થું આપવામાં આવશે.
ત્રણ મહિના સુધી મળતું રહેશે ભથ્થું
પ્રાપ્ત જાણકારી અનુસાર બેરોજગાર થવા પર મોટાભાગના 90 દિવસ (ત્રણ મહિના) સુધી ભથ્થું મળતું રહેશે. અરજદાર તેમના વર્તમાન સરેરાશ પગારના 50 ટકા ક્લેમ કરી શકે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તેનો ફાયદો માત્ર તે વર્કર્સને મળશે જે ESI સ્કીમની સાથે ઓછામાં ઓછા બે વર્ષથી જોડાયેલા છે.