રાજકોટ: કોડિનાર નજીક જામવાળા પાસે જમજીર ધોધમાં જેતપુરનો યુવાન સેલ્ફી લેવા જતા ગરક થયો હતો.યુવાન ધોધની ટોચે સેલ્ફીની જાણે તૈયારી કરતો હોય અને પગ લપસતા ઊંચા ધોધમાંથી નીચે પાણીમાં પટકાયો હતો.
આઠમના તહેવારોમાં બની હતી ઘટના
કોડીનાર નજીક જામવાળા પાસેનાં જમજીર ધોધમાં મિત્રો સાથે ફરવા આવેલો જેતપુરનો યુવાન સેલ્ફી લેવામાં પગ લપસતાં ધોધમાં ગરક બની જતાં તરવૈયાઓની મદદથી તેની શોધખોળ હાથ ધરાઇ હતી. જેતપુરનાં અશ્વીન બાવનજીભાઇ પટેલ (ઉ.વ.35) તેનાં મિત્રો સાથે સાતમ આઠમની રજામાં કોડીનાર નજીકનાં જામવાળા પાસેનાં જમજીર ધોધમાં ફરવા ગયો હતો. તહેવારનાં દિવસોમાં અહીંયા લોકોની ભારે ભીડ ઉમટતી હોય તેમની પાસેથી જાણવા મળતી વિગત મુજબ અશ્વીન સેલ્ફી લેવા જતો હતો ત્યારે અચાનક પગ લપસતા જમજીર ધોધમાં પડીને ગરક બની ગયો હતો. જો કે, ત્યાં સાથી મિત્રો તેને બચાવવા કૂદી પડ્યા હતા. પરંતુ 48 કલાકના સમય બાદ પણ તેનો મૃતદેહ હાથ લાગ્યો નહોતો.
તહેવારોમાં ધોધ પર ખાસ બંદોબસ્ત જરૂરી
તહેવારોનાં દિવસોમાં જમજીર ધોધ પર મોટી સંખ્યામાં લોકો ફરવા આવતાં હોય ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવો જરૂરી હોય છે. પરંતુ યુવાન ગરક થયાની ઘટનાં બાદ અધિકારીઓનો કાફલો હાજર થાય છે તેને બદલે સ્થળે અગાઉથી તકેદારી રાખવામાં આવી હોત તો આવી ઘટનાઓ બનતી અટકી શકે.
વરસાદી માહોલથી રેસ્કયુ બન્યું છે મુશ્કેલ
તહેવારના દિવસોમાં કરૂણાંતિકા ઘટી હોય તંત્ર દ્વારા તરવૈયાઓને કામે લગાડાયા હતા. પરંતુ ત્રણ-ત્રણ દિવસથી સતત વરસાદ પડતો હોવાથી ઉપરવાસથી ધોધમાં પાણી આવતું હતું. આથી યુવાનને શોધવામાં તરવૈયાઓને ભારે મુશ્કેલી પડી હતી.
..............advertisement ...................
Tags
Gujarati News