માળિયામિયાણા: માળિયામિયાણા તાલુકાના નવાગામમાં પ્રેમિકા પર ફાયરિંગ કરી હત્યા નિપજાવ્યા બાદ પ્રેમીએ પણ લમણા પર ગોળી મારી હતી. પરંતુ તેને ગંભીર હાલતમાં મોરબી હોસ્પિટલે સારવાર અપાયા બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો. આ ઘટનામાં માળિયામિયાણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.સી. ઝાલાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ પ્રમાણે પ્રેમીએ પ્રેમિકાને ગોળી મારી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે હાલ સારવારમાં છે. પ્રેમી પર 302ની કલમ લગાવી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતી નૂરજહા ગઇકાલે બપોર પછી ઘરેથી ગુમ હતી. જેને લઇને યુવતીના પરિવારે નવાગામ જઇને દીકરીની માગણી કરી હતી પરંતુ ત્યાં ન હોવાનું યુવકના પરિવારે જણાવ્યું હતું. તેમને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું. આ અંગે યુવતીના પરિવારે મોરબી બી ડિવીઝનમાં ગુમ થયાની જાણ કરી હતી. પરંતુ પોલીસે આજે નોંધ કરવાનું કહ્યું હતું.
પ્રેમિકાને છાતીમાં ગોળી ધરબીને મોતને ઘાત ઉતારી દીધી હતી. ત્યારબાદ સૌથી મોટો સવાલ એ થાય છે કે પ્રેમીએ પ્રેમિકાને મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તો પછી પોતાને ગોળી મારીને પ્રેમીએ કેવી રીતે પ્રેમિકાના હાથમાં બંદૂક આપી હશે.
જુવારના ખેતરમાં ખેલાયો ખૂની ખેલ઼
યુવતી એક દિવસથી ગુમ હતી ત્યારે તેનો પરિવાર તેની શોધખોળમાં લાગેલો હતો. તેઓ યુવતીના પ્રેમીના ગામ સુધી પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ન હોવાનું જણાવીને ત્યાંથી તેમને પરત મોકલી દીધા હતા. પોલીસને ઘટનાની જાણ કરી હતી છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. યુવકે યુવતીને તેના પરિવાર જ્યાં ખેતી કરતો હતો ત્યાં ગોળી મારીને ખૂની ખેલ ખેલ્યો હતો.
ખેતર માલિક પહોંચતાં બહાર આવી ઘટના
સવારના સમયે સુભાંગ અબ્રાહમ કાટીયા સવારે યુવકના પરિવારને ખેતી કરવા આપેલા ખેતર પહોેંચ્યા હતા. જ્યાં તેમણે યુવતીની લાશ જોઈ હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે ત્યાં પહોંચીને યુવતીની લાશનો કબજો મળીને પીએમ માટે ખસેડી હતી. જ્યારે યુવકને સારવાર માટે પહેલા મોરબી ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલ મોકલ્યો હતો.
યુવક પરિણીત, એક જ કોમના હોવાથી લગ્ન શક્ય ન હતા
પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી પરિણીત હતો. હત્યા પાછળનું કારણ લગ્ન ન થઈ શકવા હોવાનું માનવામાં આવી રહ્યું છે. યુવતી અને યુવક બંને માળીયા કોમના હતાં, જેથી તેમના લગ્ન થવા શક્ય ન હતા. ઉપરાંત યુવતીની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં જ તેના લગ્ન થવાના હતાં.
ગામની સીમમાં બન્યો બનાવ, કારણ અકબંધ
બનાવના પગલે માળિયામિયાણા પોલીસ ઘટનાસ્થળે દોડી હઇ હતી. પ્રેમી મોહસીન સંઘવાણી પ્રેમિકા નૂરજહાને ગામની સીમમાં લઇ ગયો હતો. સૌપ્રથમ પ્રેમિકા પર ફાયરિંગ કર્યા બાદ પ્રેમીએ પણ પોતાના લમણા પર બંદુકની ટીગર દબાવી દીધી હતી. ફાયરિંગના અવાજથી આસપાસમાં રહેલા લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવાનને સારવાર માટે સૌપ્રથ મોરબી હોસ્પિટલ ખસેડ્યો હતો. બાદમાં વઘુ સારવાર માટે તેને રાજકોટ હોસ્પિટલે ખસેડાયો છે. પરંતુ હજુ સુધી ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી. આ મુદ્દે બારબોર જેવી રાયફલ પ્રેમી પાસે ક્યાંથી આવી, લાયસન્સવાળી હતી કે લાયસન્સ વગરની હતી તેની તપાસ પોલીસ કરી રહી છેે.
યુવતી ગઇકાલથી હતી ગુમ
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતી નૂરજહા ગઇકાલે બપોર પછી ઘરેથી ગુમ હતી. જેને લઇને યુવતીના પરિવારે નવાગામ જઇને દીકરીની માગણી કરી હતી પરંતુ ત્યાં ન હોવાનું યુવકના પરિવારે જણાવ્યું હતું. તેમને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું. આ અંગે યુવતીના પરિવારે મોરબી બી ડિવીઝનમાં ગુમ થયાની જાણ કરી હતી. પરંતુ પોલીસે આજે નોંધ કરવાનું કહ્યું હતું.
મોટો સવાલ કેવી રીતે હત્યા કરી પ્રેમિકાને બંદૂક આપી
પ્રેમિકાને છાતીમાં ગોળી ધરબીને મોતને ઘાત ઉતારી દીધી હતી. ત્યારબાદ સૌથી મોટો સવાલ એ થાય છે કે પ્રેમીએ પ્રેમિકાને મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તો પછી પોતાને ગોળી મારીને પ્રેમીએ કેવી રીતે પ્રેમિકાના હાથમાં બંદૂક આપી હશે.
જુવારના ખેતરમાં ખેલાયો ખૂની ખેલ઼
યુવતી એક દિવસથી ગુમ હતી ત્યારે તેનો પરિવાર તેની શોધખોળમાં લાગેલો હતો. તેઓ યુવતીના પ્રેમીના ગામ સુધી પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ન હોવાનું જણાવીને ત્યાંથી તેમને પરત મોકલી દીધા હતા. પોલીસને ઘટનાની જાણ કરી હતી છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. યુવકે યુવતીને તેના પરિવાર જ્યાં ખેતી કરતો હતો ત્યાં ગોળી મારીને ખૂની ખેલ ખેલ્યો હતો.
ખેતર માલિક પહોંચતાં બહાર આવી ઘટના
સવારના સમયે સુભાંગ અબ્રાહમ કાટીયા સવારે યુવકના પરિવારને ખેતી કરવા આપેલા ખેતર પહોેંચ્યા હતા. જ્યાં તેમણે યુવતીની લાશ જોઈ હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે ત્યાં પહોંચીને યુવતીની લાશનો કબજો મળીને પીએમ માટે ખસેડી હતી. જ્યારે યુવકને સારવાર માટે પહેલા મોરબી ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલ મોકલ્યો હતો.
યુવક પરિણીત, એક જ કોમના હોવાથી લગ્ન શક્ય ન હતા
પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી પરિણીત હતો. હત્યા પાછળનું કારણ લગ્ન ન થઈ શકવા હોવાનું માનવામાં આવી રહ્યું છે. યુવતી અને યુવક બંને માળીયા કોમના હતાં, જેથી તેમના લગ્ન થવા શક્ય ન હતા. ઉપરાંત યુવતીની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં જ તેના લગ્ન થવાના હતાં.
યુવતીના બે મહિના બાદ થવાના હતા લગ્ન
નૂરજહાની સગાઇ એક વર્ષ પહેલા થઇ ગઇ હતી. તેના લગ્ન બે મહિના બાદ જ થવાના હતા. તે પરિવારમાં સૌથી નાની હતી. આ સિવાય તેને બે ભાઇ અને બે બહેનો છે.
Tags
Gujarati News