જૂનાગઢમાં નજીવી બાબતે ચાર લોકોની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. ત્રણ દિવસ અગાઉ પેસેન્જર્સને બેસાડવાની બાબતે રિક્ષાચાલકો વચ્ચે તકરાર થઈ હતી. જે બાદમાં ગઈ કાલે એક શખ્સની હત્યા કરી દેવાઈ હતી.બાદમાં જફ્ફર મેદાનમાંથી હત્યા કરનાર બે શખ્સો અને બીજા એક વ્યક્તિની લાશ મળી આવી હતી. પેસેન્જર્સ બેસાડવાની બાબતે કિશ્નમુડુ રબારી અને અજય બાવાજી તથા મુકેશ બાવાજી વચ્ચે ઝઘડો થયો હતો. અદાવત રાખી અજય અને મૂકેશે કિશ્નમુડુ રબારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં ફરાર બંને આરોપીઓની પણ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી.
Tags
Gujarati News