એક હતું વડનગર. ગામમાં નરેન્દ્ર નામનો એક છોકરો રહેતો હતો. બીજા છોકરાઓથી તે સાવ અલગ જ હતો. બાળ નરેન્દ્રને તરવાનો જબરો શોખ. તે દિવસભર તળાવમાં પડ્યો રહેતો. એક દિવસ તે તળાવમાં ડૂબકીઓ મારી રહ્યો હતો. અચાનક જ તેણે મગરનું બચ્ચું જોયું. ડરવાને બદલે એ તેની પાસે ગયો. કુતુહલવશ તેણે બચ્ચાને પકડી લીધુ અને ખભ્ભે નાંખી ચાલતો થયો. બચ્ચાને લઈ તે ઘેર આવ્યો. દીકરાના હાથમાં મગરનું બચ્ચું જોઈ માતાનો શ્વાસ અદ્ધર થઈ ગયો. તરત જ તેમણે કહ્યું કે, આ શું કર્યું? જા, આ બચ્ચાને પાછું તળાવમાં છોડી આવ. પણ માને એ નરેન્દ્ર શાનો? તરત જ નનૈયો ભણી દીધો. છેવટે મા દીકરાને સમજાવવા લાગ્યા. તેમણે કહ્યું જો તુ મારાથી અલગ થઈ જાય કે તને કોઈ મારાથી દૂર લઈ જાય તો મને કેવુ દુ:ખ થાય? એવું જ આ બચ્ચાની માને નહીં થતુ હોય ? જા, બચ્ચુ પાછુ તળાવમાં મૂકી આવ. માતાના આ શબ્દો સાંભળી બાળ નરેન્દ્રને લાગી આવ્યું. અને તરત જ જઈ બચ્ચાને તળાવમાં છોડી દીધુ.
advertisement
Tags
Gujarati News