રાજકોટ: બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, જાહેરમાં તલવારો ઉડી, ફાયરિંગની ચર્ચા
byRamji Parmar-
0
રાજકોટ: શહેરની આજીડેમ ચોકડી
પાસે આજે સોમવારે બે જૂથ વચ્ચે તલવારો અને પાઇપથી સશસ્ત્ર ધીંગાણુ ખેલાયું
હતું. જેમાં ફાયરિંગ થયાની ચર્ચા પણ થઇ રહી છે. ઘટનાને પગલે પોલીસ દોડી ગઇ
હતી અને ટોળાને વિખેર્યા હતા. બાદમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં
આવ્યો હતો. શહેરના ચુનરાવાડ વિસ્તારમાં રહેતા ભરવાડ સમાજના 30થી વધુ લોકો
આજીડેમ પાસે આસીફ ચાવડાના ભંગાર ડેલામાં તલવાર, પાઇપ સાથે પહોંચ્યા હતા.
બાદમાં સામે પક્ષે મુસ્લિમ સમાજના લોકો પણ હથિયારો સાથે પહોચ્યા હતા. બન્ને
જૂથ વચ્ચે રકઝક થયા બાદ તલાવારો વીંઝાઇ હતી. જેમાં ત્રણથી વધુ વ્યક્તિને
ઇજા પહોંચી હતી અને એકની હાલત ગંભીર હોવાથી તમામને ખાનગી હોસ્પિટલમાં
સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.