ધર્મ ડેસ્ક, અમદાવાદઃ રૂદ્રાક્ષ વિશે આપણે બધા જ જાણીએ છીએ. ભગવાન શિવ તેને આભૂષણ સ્વરૂપે ધારણ કરે છે. રૂદ્રાક્ષ વિના મહાદેવનો શ્રૃંગાર જ અધૂરો માનવામાં આવે છે. શિવપુરાણની વિદ્યેશ્વર સંહિતામાં રૂદ્રાક્ષના 14 પ્રકાર જણાવવામાં આવ્યાં છે. એકમુખી રૂદ્રાક્ષ ધારણ કરનાર ક્યારેય ગરીબ બનતો નથી એવું શિવપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે. શ્રાવણના અવસર પર અમે તમને રૂદ્રાક્ષના પ્રકાર તથા તેની સાથે જોડાયેલી થોડી ખાસ વાતો જણાવી રહ્યા છીએ. રૂદ્રાક્ષને આકારના હિસાબે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યાં છે.
1. ઉત્તમ શ્રેણી- જે રૂદ્રાક્ષ આકારમાં આમળાના ફળ બરાબર હોય તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
2. મધ્યમ શ્રેણી- જે રૂદ્રાક્ષનો આકાર બોરના ફળ સમાન હોય તે મધ્યમ શ્રેણીમાં આવે છે.
3. નિમ્ન શ્રેણી- ચણા બરાબર આકારવાળા રૂદ્રાક્ષને નિમ્ન શ્રેણીમાં ગણવામાં આવે છે.
4. જે રૂદ્રાક્ષને જીવાણુએ ખરાબ કરી દીધાં હોય કે તૂટેલાં-ફૂટેલાં હોય કે સંપૂર્ણ ગોળ ન હોય. જેમાં ઉભરેલાં દાણા ન હોય. આવો રૂદ્રાક્ષ પહેરવો જોઇએ નહીં. ત્યાં જ જે રૂદ્રાક્ષમાં આપમેળે દોરો પોરવવા માટે કાણું પડી ગયું હોય, તે ઉત્તમ હોય છે.
Know more