નર્મદા: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓમકારેશ્વર તથા ઇન્દીરાસાગર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાને કારણે કેવડિયા ખાતે નર્મદા ડેમ શનિવારે વહેલી સવારથી ઓવરફલો થઇ રહયો છે. સોમવારે સાંજે 6 વાગ્યે નર્મદા ડેમની સપાટી 125.57 મીટરે પહોંચી હતી. નર્મદા ડેમ 3.65 મીટરની સપાટીથી ઓવરફલો થઇ રહ્યો છે. ત્રણ દિવસથી ઓવરફલો થઇ રહેલાં ડેમને જોવા માટે 40 હજાર સહેલાણી ઉમટી પડ્યાં હતા.
નદીમાં કુલ 2.88 લાખ કયુસેક પાણી ડેમમાંથી આવ્યું
ડેમની સપાટી દર કલાકે એક સેમી વધી રહી છે. નર્મદા ડેમ ખાતે વીજળી ઉત્પાદન માટે કુલ 11 ટર્બાઇન ચલાવવામાં આવી રહયાં છે. નદીમાં કુલ 2.88 લાખ કયુસેક પાણી ડેમમાંથી આવી રહ્યું છે. ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. હાલમાં ડેમના તમામ દરવાજા ખુલ્લા હોવાથી એક દિવસમાં ચાર મહાનગરો 201 દિવસ ચાલે એટલું પાણી વહી રહ્યું છે. જો આ દરવાજા બંધ કરવાની સુપ્રીમ કોર્ટ મંજૂરી આપે તો પાણીનો આટલો વેડફાટ રોકી શકાય .
દૈનિક પાણીની જરૂરિયાત
અમદાવાદ : 1820 mld
સુરત: 980 mld
વડોદરા: 460 mld
રાજકોટ: 240 mld
કુલ જરૂર (દૈનિક): 3500 mld
નર્મદામાં વહી રહેલું પાણી
2.88 લાખ ક્યૂસેક
પ્રતિ સેકન્ડ વહી રહેલું પાણી
81.50 લાખ લિટર
પ્રતિ દિન વહી રહેલું પાણી
704.19 અબજ લિટર
4 મહાનગરોને અા પાણી કેટલા દિવસ ચાલે?
201 દિવસ
ત્રણ દિવસમાં પ્રવાસીઅોની સંખ્યા: 40,000
આગળ ક્લિક કરો અને જુઓ નયનરમ્ય તસવીરો