ટોચ પર પહોંચવું હોય તો
સમાજ માટે કંઈક કરો
દિવ્યભાસ્કર - મૅનેજમેન્ટ ફંડા
બુ ધવારે મુંબઈના ટ્રાફિક જામથી બચવા માટે મેં નાસિક ટ્રેન દ્વારા જવાનો નિર્ણય લીધો. નાસિક-મુંબઈ વચ્ચે 159 કિલોમીટરનું અંતર છે. હું ક્યારેય નાસિક ટ્રેન વાટે નથી જતો, કેમ કે રોડ મારફતે નાસિક પહોંચવામાં 2:30 કલાક લાગેછે, જ્યારે ટ્રેન થ્રુ 4 કલાક. ઇગતપુરી પહોંચવા સુધી બધા મુસાફરોને ભોજન સર્વ દેવામાં આવ્યુ હતું. મોટા ભાગનાએ નૉનવેજ કે વેજ બિરયાની ઑર્ડર કરી હતી. ફૂડ કાગળના કાર્ટનમાં એલ્યૂમિનિયમ ફૉઇલમાં હતું, સાથે પ્લાસ્ટિકની ચમચી હતી. ભારતમાં દરરોજ 30 કરોડ ગ્લાસિસ, કપ્સ અને પ્લેટ્સ જેવી પ્લાસ્ટિકની આઇટમ ફેંકવામાં આવે છે. 120 અબજ આવી વસ્તુઓનો કચરો દર વર્ષે ધરતીમાં કાયમી નુક્શાન પહોંચાડે છે. અહીં મારી મુલાકાત એક વ્યક્તિથી થઈ જેઆવી પ્લેટ્સ- ચમચીઓ અને કટલેરી બનાવે છે, જેના વપરાશ બાદ ખાઈ પણ શકાય છે. મળો નારાયણ પિસ્સાપટ્ટીને. તે બેકરી ફૂડના ડિરેક્ટર છેઅને ખાવાલાયક કટલેરી બનાવવાનો આઇડિયા લઇને આવ્યા છે. તે દુનિયાની પહેલી વ્યક્તિ છે, જે વ્યાવસાયિક સ્તરે આવી કટલેરી બનાવી રહ્યાં છે. કેફે કૉફી ડે જેવા આઉટલેટ બિરયાની માટે તેના પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જુવાર, ચોખા અનેઘઉંના લોટનેભેળવીને આ કટલેરી બનાવવામાંઆવે છે. ઇડિબલ કટલેરી ભોજન સાથે પ્રેમથી ખાઈ પણ શકાય છે અને અલગ અલગ ફ્લેવરમાંછે. મસાલેદાર પણ અને મીઠા પણ. સાથેપૌષ્ટિક પણ છે.આ પ્રોડક્ટ ઊંચા તાપમાને બેક કરીને સૂકાવી અને સખત બનાવવામાંઆવે છે. કંપની પાસે આ ત્રણ મહિનામાં 2.50 કરોડ ચમચીઓ તથા કટલેરી બનાવવાનો ઓર્ડર છે. આ માંગ દેશ અને જર્મની-ફ્રાંસ જેવા દેશોના વિદેશી ગ્રાહકોમાંછે. એવું પહેલી વાર છે કે આ મહિને કંપની 50 હજાર યૂનિટ બનાવવાની પોતાની સંપૂર્ણક્ષમતાથી કામ કરી રહી છે. વર્તમાનમાંઆ આઇટમ 2.75 રૂપિયા પ્રતિ નંગ ઉપર બનેછે, જે ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકમાંથી બનનાર કટલેરી કરતાં સસ્તી છે. પરંતુ કેટલાક લોકો કટલેરીમાં સસ્તા પ્લાસ્ટિકનો ઉપયોગ કરેછે, જે કોટેડ પ્લાસ્ટિકમાંથી બનેછે અને સિલ્વર જેવી દેખાય છે. ફંડા એ છે કે જો તમે દુનિયાની ટોચ ઉપર પહોંચવા ઇચ્છો છો તો તમારો બિઝનેસ એવો હોવો જોઈએ, જે સમાજના સારા માટે હોય.
દિવ્યભાસ્કર - મૅનેજમેન્ટ ફંડા
બુ ધવારે મુંબઈના ટ્રાફિક જામથી બચવા માટે મેં નાસિક ટ્રેન દ્વારા જવાનો નિર્ણય લીધો. નાસિક-મુંબઈ વચ્ચે 159 કિલોમીટરનું અંતર છે. હું ક્યારેય નાસિક ટ્રેન વાટે નથી જતો, કેમ કે રોડ મારફતે નાસિક પહોંચવામાં 2:30 કલાક લાગેછે, જ્યારે ટ્રેન થ્રુ 4 કલાક. ઇગતપુરી પહોંચવા સુધી બધા મુસાફરોને ભોજન સર્વ દેવામાં આવ્યુ હતું. મોટા ભાગનાએ નૉનવેજ કે વેજ બિરયાની ઑર્ડર કરી હતી. ફૂડ કાગળના કાર્ટનમાં એલ્યૂમિનિયમ ફૉઇલમાં હતું, સાથે પ્લાસ્ટિકની ચમચી હતી. ભારતમાં દરરોજ 30 કરોડ ગ્લાસિસ, કપ્સ અને પ્લેટ્સ જેવી પ્લાસ્ટિકની આઇટમ ફેંકવામાં આવે છે. 120 અબજ આવી વસ્તુઓનો કચરો દર વર્ષે ધરતીમાં કાયમી નુક્શાન પહોંચાડે છે. અહીં મારી મુલાકાત એક વ્યક્તિથી થઈ જેઆવી પ્લેટ્સ- ચમચીઓ અને કટલેરી બનાવે છે, જેના વપરાશ બાદ ખાઈ પણ શકાય છે. મળો નારાયણ પિસ્સાપટ્ટીને. તે બેકરી ફૂડના ડિરેક્ટર છેઅને ખાવાલાયક કટલેરી બનાવવાનો આઇડિયા લઇને આવ્યા છે. તે દુનિયાની પહેલી વ્યક્તિ છે, જે વ્યાવસાયિક સ્તરે આવી કટલેરી બનાવી રહ્યાં છે. કેફે કૉફી ડે જેવા આઉટલેટ બિરયાની માટે તેના પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જુવાર, ચોખા અનેઘઉંના લોટનેભેળવીને આ કટલેરી બનાવવામાંઆવે છે. ઇડિબલ કટલેરી ભોજન સાથે પ્રેમથી ખાઈ પણ શકાય છે અને અલગ અલગ ફ્લેવરમાંછે. મસાલેદાર પણ અને મીઠા પણ. સાથેપૌષ્ટિક પણ છે.આ પ્રોડક્ટ ઊંચા તાપમાને બેક કરીને સૂકાવી અને સખત બનાવવામાંઆવે છે. કંપની પાસે આ ત્રણ મહિનામાં 2.50 કરોડ ચમચીઓ તથા કટલેરી બનાવવાનો ઓર્ડર છે. આ માંગ દેશ અને જર્મની-ફ્રાંસ જેવા દેશોના વિદેશી ગ્રાહકોમાંછે. એવું પહેલી વાર છે કે આ મહિને કંપની 50 હજાર યૂનિટ બનાવવાની પોતાની સંપૂર્ણક્ષમતાથી કામ કરી રહી છે. વર્તમાનમાંઆ આઇટમ 2.75 રૂપિયા પ્રતિ નંગ ઉપર બનેછે, જે ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકમાંથી બનનાર કટલેરી કરતાં સસ્તી છે. પરંતુ કેટલાક લોકો કટલેરીમાં સસ્તા પ્લાસ્ટિકનો ઉપયોગ કરેછે, જે કોટેડ પ્લાસ્ટિકમાંથી બનેછે અને સિલ્વર જેવી દેખાય છે. ફંડા એ છે કે જો તમે દુનિયાની ટોચ ઉપર પહોંચવા ઇચ્છો છો તો તમારો બિઝનેસ એવો હોવો જોઈએ, જે સમાજના સારા માટે હોય.