આજે બીજો વિશ્વ યોગ દિવસ: યોગ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનીતસવીરો
અમદાવાદ: આજે 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. પણ આ દિવસ જાહેર થયો તેનુ આ બીજુ વર્ષ છે એટલે કે આ બીજો યોગ દિવસ છે એમ પણ કહીં શકાય. 27 સપ્ટેમ્બર, 2014નાં રોજ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારે બાદ યુએન દ્વારા ડીસેમ્બરમાં 21 જૂનને વિશ્વ યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો.
ગુજરાતનાં મુખ્યપ્રધાન રહી ચુકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાથી જ યોગ, સ્વાસ્થ્ય અને ખોરાકને લઈને જાગૃત હોવાનુ ઘણી વાર સામે આવ્યું છે. સવારે વહેલા ઉઠીને રોજિંદી કામગીરીમાં મોદીએ યોગ માટે ખાસ સમય ફાળવતા હોવાની વાત પણ ઘણી વાર પ્રકાશમાં આવી છે. મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યપ્રધાન હતા ત્યારે તેઓએ યોગ યુનિવર્સિટીના ઉદ્દઘાટનમાં યોગ વિશેની ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી.