દાઉદનો ડર હવે પૂરો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. હા, અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે તેના જ માણસે દગાખોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ વાત માનવી થોડવી મુશ્કેલ છે પરંતુ તે સત્ય છે. દાઉદ ઈબ્રાહિમ સાથે તેના જ એક વિશ્વાસુ ગણાતા માણસે દગાખોરી કરી છે. દાઉદના આ ખાસ માણસનું નામ છે ખલીક અહેમદ. ખલીક અહેમદ દાઉદના રૂ. 40 કરોડ લઈને ફરાર થઈ ગયો છે. દાઉદ હવે આ ખલીકને શોધી રહ્યો છે.
ખલીક ભારતમાં સંભાળતો હતો દાઉદનો વેપાર
- ખલીક અહેમદ દાઉદ ઈબ્રાહિમનો બહુ વફાદાર માણસ માનવામાં આવતો હતો.
- ખલીક ભારતમાં દાઉદનો ગેરકાયદેસર વેપાર સંભાળતો હતો.
- પરંતુ હવે તેણે જ દાઉદ સાથે રૂ. 40 કરોડની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે.
ખલીકે ક્યાં કર્યો ગોટાળો
- ઈન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે દિલ્હીના કોઈ વેપારી પાસેથી ખલીકે રૂ. 45 કરોડની વસુલાત કરી હતી.
- વસુલાતની રકમ તેણે દાઉદને મોકલવાની હતી.
- ખલીકે રૂ. 40 કરોડનો હવાલો આપીને તે દાઉદ પાસે મોકલવાનું નાટક કર્યું હતું.
- તે સાથે જ રૂ. 5 કરોડ ફી તરીકે પોતાની પાસે રાખ્યા હોવાનું નાટક પણ કર્યું હતું.
- પરંતુ થોડા સમય પછી ખલીક અને રૂ. 40 કરોડ બંને ગાયબ થઈ ગયા હતા.
- ભારતીય ખાનગી એજન્સીને આ વિશે ત્યારે માહિતી મળી જ્યારે તેણે ખલીક અને દાઉદના અન્ય માણસ જબીર મોટી સાથેની વાત-ચીત રેકોર્ડ કરી હતી.
- આ બંને જનરલી ભારત અને શારજહાં આવતા જતા રહેતા હોય છે.
- જબીર મોટી પણ દાઉદ માટે ગેરકાયદેસરની વસુલાતનું કામ કરે છે.
દાઉદનું નામ થયું ખરાબ
- બંનેની વાત-ચીતમાં ડૉન સાથેની દગાખોરીની વાત સામે આવી હતી.
- જબીરે ખલીકને કહ્યું હતું કે દાઉદને તેમના જ એક અન્ય વફાદાર માણસ રજ્જાકે આ હેરફેર વિશે જણાવ્યું છે.
- રજ્જાકના મત પ્રમાણે ખલીકની આ હરકતના કારણે અંડરવર્લ્ડની દુનિયામાં દાઉદનું નામ ખરાબ થયું છે.
- ઈન્ટેલિજન્સના મત પ્રમાણે ગયા વર્ષે નવેમ્બરમાં આ મામલે ડી-કંપનીએ કેનેડાથી તેમના બે માણસ દિલ્હી મોકલ્યા હતા.
આગળ વાંચોઃ ઝડપથી પૈસા પરત કરવા માટે કર્યો હતો વાયદો, મણિપુરમાં રહે છે ખલીક
Tags
Gujarati News