બાળ કેળવણીનો લેખ - ડો. હરીશ પારેખ
પહેલવહેલી જે કેળવણી બાળકને આપવાની છે તે છે દરેક માણસની કિંમત કરવાની કેળવણી, આ જગતમાં રહેલા દરેક માણસનું સન્માન કરવું જોઈએ. નાનો માણસ હોય કે મોટો, કે ગરીબ હોય કે અમીર. માનવને માનવીય સઁવેદનાઓથી જ જોતાં શીખે છે એવું શિક્ષણ બાળકોને આપવાની જરૂર છે. માનસમાત્રનો આદર કરવાની સમજણ જો બાળકમાં કેળવાશે તો તે ક્રૂર બનશે નહી. તે ગમે તેટલો મોટો બની જશે, પણ તેનામાં નાના માણસ માણસો પ્રત્યે આદર,સન્માન અને પ્રેમ રહેશે. જે જીવનની સફળતા અપાવશે. આ ઉદાહરણ વાંચો.
લેનિન એક વાર વાળ કપાવવા ગયા. ત્યાં ઘણી ભીડ હતી. લેનિન મહાન નેતા છે એવું સૌ કોઈ જાણતા હતા. કોમરેડ નામના શખસે કહ્યું : આપને ઘણા કામો હશે. તમે પહેલા વાળ કપાવી લો. ત્યારે લેનિને કહ્યું : ના, કામરેડ બધાનો સમય કિંમતી હોય છે. આ સમાજમાં કોઈનું કાર્ય બીજાના કાર્યથી ઓછું અગત્યનું નથી. મજૂર, શિક્ષક કે પક્ષના સેક્રેટરી - એ સહુનું કામ મહત્વનું છે. તે જ આપણું કર્તવ્ય છે. આ મહાન સિદ્ધાંતની વિરુદ્ધમાં હું કોઈ દાખલો બેસાડવા માંગતો નથી.
જેઓ બીજાનો આદર કરતા નથી તેઓ ધીરે ધીરે અહંકારી બની જાય છે અને અહંકારીનો નાશ થતાં વાર લાગતી નથી. - રામકૃષ્ણ