7મી સપ્ટેમ્બરે ઇસરો અંતરિક્ષ વિજ્ઞાનમાં ઈતિહાસ રચવાથી થોડે દૂર હતું, પરંતુ ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમનો લેન્ડીંગથી અંદાજે 69 સેકન્ડ પહેલા પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર વિક્રમનું લેન્ડીંગ શુક્રવાર-શનિવાર રાતે 1 વાગ્યેને 53 મિનીટે થવાનું હતું, ત્યારબાદ ઇસરોના ચેરમેન સિવને કહ્યું કે, ભારતનું આ મિશન 99 ટકા સફળ થયું છે. ફક્ત છેલ્લા તબક્કામાં લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયો હતો.
જે ઓર્બિટર લેન્ડરથી અલગ થયું હતું , તે હજુ પણ ચંદ્રની સપાટીથી 119 કિમીથી 127 કિમીની ઊંચાઈ પર ફરી રહ્યું છે. 2,379 કિલોનું વજન ધરાવતા ઓર્બિટર સાથે 8 પેલોડ છે અને જે 7 વર્ષ સુધી કામ કરશે. એટલે કે લેન્ડર અને રોવરની સ્થિતી અંગે ભાળ નહીં મળે તો પણ મિશન ચાલુ રહેશે... 8 પેલોડના અલગ અલગ કામ હશે
- ચંદ્રની સપાટીનો નકશો તૈયાર કરવો. જેનાથી ચંદ્રના અસ્તિત્વ અને તેના વિકાસ અંગેની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી શકાય
- મેગ્નેશિયમ, એલ્યુમીનિયમ, સિલિકોન, કેલ્શિયમ, ટાઈટેનિયમ, આર્યન અને સોડિયમની હાજરીની જાણકારી મળી શકે
- સૂર્યના કિરણોમાં રહેલા સોલર રેડિએશનની તીવ્રતાને માપવી
- ચંદ્રની સપાટીની હાઈ રિઝોલ્યુશન તસવીરો લેવી
- સપાટી પર ખાડા ટેકરાની જાણકારી મેળવવી જેથી લેન્ડરનું સોફ્ટ લેન્ડીંગ થઈ શકે
- ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીની હાજરી અને ખનીજો અંગે જાણકારી મેળવવી
- ધ્રુવીય વિસ્તારમાં ખાડામાં બરફના રૂપમાં જમા થયેલા પાણી અંગે માહિતી મેળવવી
- ચંદ્રની બહારનું વાતાવરણ સ્કેન કરવું
Tags
Technology News