લખનઉ:અહીં બુધવારે મોહરમના દિવસે માતમનું જૂલુસ કાઢવામાં આવ્યું હતું. આ માતમનું જુલૂસ અંદાજે 10 વાગે ઈમામબાડીથી શરુ થઈને 8 કિમી દૂર સુધી તાલકટોરા પર પુરુ થયું હતું. આ દરમિયાન હુસૈની સૌગવારોએ પોતાની જાતને ઘાયલ કરીને માતમ મનાવ્યું હતું અને ઈમામ હુસૈનની શહાદતનો હેતુ વ્યક્ત કર્યો હતો.
જાણો કેમ કાઢવામાં આવે છે મોહરમનું જુલૂસ
- ઈમામ હુસૈન અને તેમના ફોલોઅર્સની શહાદતની યાદમાં મોહરમનું જુલૂસ કાઢવામાં આવે છે.
- આ કોઈ તહેવાર નથી પરંતુ માતમનો દિવસ છે.
- તેમાં નાનાથી લઈને મોટા સુધી દરેક લોકો પોતાની જાતને ઈજા પહોંચાડીને દુખ વ્યક્ત કરે છે.
ડ્રોન કેમેરાથી ધ્યાન રાખવામાં આવે છે
- એસએસપી મંજિલ સૈનીએ જણાવ્યું કે, સુરક્ષાના ભાગરૂપે જુલૂસ વાળા રસ્તાઓમાં ફોર્સ તૈનાત કરવામાં આવે છે.
- આ સિવાય ડ્રોન કમેરાથી પણ નજર રાખવામાં આવે છે.
Tags
Gujarati News