જે દીવસે મૃત્યુ થશે, તે દીવસે બધા પૈસા બેન્કમાં જ રહી જશે.
જ્યારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે આપણને લાગતું હોય છે કે આપણી પાસે ખર્ચવા માટે પુરતા પૈસા નથી. સાચું તો એ છે કે જ્યારે મૃત્યુ થશે ત્યારે મોટા ભાગનું ધન ખર્ચ્યા વગરનું રહી જશે.
એક ચીની સોફ્ટવેર એન્જીનીઅરનું મૃત્યુ થયું. એ પોતાની વીધવા પત્ની માટે બેન્કમાં ૨.૯ મીલીઅન ડૉલર મુકી ગયો. પછી વીધવાએ જવાન નોકર સાથે લગ્ન કરી લીધાં.
નોકરે કહ્યું, “હું હંમેશાં વીચારતો હતો કે હું મારા માલીક માટે કામ કરું છું. પણ હવે મને સમજાયું કે આ તો માલીક આખી જીંદગી મારા માટે કામ કરતા હતા.”
બોધ: જરુરી તો એ છે કે વધારે ધન ભેગું કરવાને બદલે વધારે જીવવું.
સારા અને સ્વસ્થ શરીર માટે પ્રયત્ન કરો.
– મોંઘા ફોનના ૭૦% ફંક્શન બીનઉપયોગી રહી જાય છે.
– મોંઘી કારની ૭૦% સ્પીડનો ઉપયોગ જ નથી થતો.
– આલીશાન મકાનનો ૭૦% હીસ્સો હંમેશાં ખાલી જ રહે છે.
– પુરા કબાટમાંથી ૭૦% કપડાં તો પડ્યાં જ રહે છે.
– પુરા જીવનની કમાણીનો ૭૦% હીસ્સો બીજા માટે રહી જાય છે.
– ૭૦% ગુણોનો જીવનમાં ઉપયોગ પણ થતો નથી હોતો.
પણ જે ૩૦% વાપરીએ છીએ તે કેવી રીતે વાપરશો?
સ્વસ્થ હો તો પણ નીયમીત ચેકઅપ કરાવો. તરસ ના હોય તો પણ પાણી પીતા રહો. પોતાના અહંનો ત્યાગ કરો. શક્તીશાળી હોવા છતાં પણ સરળ અને સૌમ્ય રહો. ધનીક ના હો તો પણ પરીપુર્ણ રહો. જીવનનો સાચો મતલબ સમજો.