અમદાવાદ : 15મી ઓગસ્ટથી ગુજરાતના 12 રસ્તા પર કાર સહિતના નાના વાહનો, થ્રી વ્હીલર, ટૂ વ્હીલર અને એસટી બસને ટોલટેક્સમાંથી મુક્તિ મળી જશે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તાજેતરમાં કરેલી જાહેરાતનો અમલ કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. ટોલ પરના કોન્ટ્રાક્ટરોને રાજ્ય સરકાર પૈસા ચૂકવશે, જેને પગલે રાજ્ય સરકારને વર્ષે અંદાજે 150 કરોડથી વધુ રૂપિયાનો બોજો પડશે. જોકે, નેશનલ હાઈવે પર લેવાતા ટોલટેક્સ યથાવત રહેશે.
અમદાવાદ રિંગ રોડ પર ટોલટેક્સ યથાવત
- અમદાવાદ રિંગ રોડ પર ટોલટેક્સ મુક્તિ નહીં, કારણ કે તે ઔડા સંચાલિત છે.
- એસટી બસ પેસેન્જરને વર્ષે 20 કરોડ ભાડું આપવું પડતું હતું એ બંધ થઈ જશે.
- ટોલ કોન્ટ્રાક્ટરોને વર્ષે 150 કરોડથી વધુ રૂપિયા સરકાર ચુકવશે
- ટેક્સી પાસિંગ કારને પણ ટોલ ટેક્સમાંથી મુક્તિ
- રોજની 86 હજાર કારને મળશે જાહેરાતનો લાભ
કયા બાર રોડ ટોલટેક્સ ફ્રી?
1. અમદાવાદ-મહેસાણા હાઈવે
2. વડોદરા- હાલોલ હાઈવે
3. અમદાવાદ-વિરમગામ-માળિયા હાઈવે
4. હાલોલ- ગોધરા- શામળાજી હાઈવે
5. રાજકોટ- જામનગર-વાડીનાર
6. હિંમતનગર બાયપાસ ટોલબુથ
7. કિમ-માંડવી હાઈવે
8. ભૂજ-નખત્રાણા હાઈવે
9. ડીસા-પાંથાવાડા-ગુંદરી હાઈવે
10. વડોદરા-છાયાપુરી
11. કપડવંજ- મોડાસા હાઈવે
12. બગોદરા-બામણબોર
આ રસ્તા પર ટોલટેક્સ યથાવત
અમદાવાદ-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે
અમદાવાદ-ઈન્દોર હાઈવે
હજીરા-બારડોલી હાઈવે
રાજકોટ-જૂનાગઢ-પોરબંદર હાઈવે
જૂનાગઢ-સોમનાથ હાઈવે
બામણબોર-સમખીયાળી-કંડલા રોડ
ગઈકાલ સુધી જાહેરાતના અમલ મુદ્દે હતી મુંઝવણ
ગુજરાતના નવા નિમાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે ટોલટેક્સ નાબુદી અંગે કહ્યું હતું કે, 'અમારી પાર્ટીના મુખ્યમંત્રીએ જાહેર કરેલા નિર્ણયો છે. એનો અમલ થશે પણ અમલીકરણની સમયસીમામાં બદલાવ થઇ શકે.' જોકે આજે વિજય રૂપાણી અને નીતિન પટેલની મળેલી બેઠક બાદ ટોલટેક્સ મુક્તિની જાહેરાત કરાઈ છે.
આગળ વાંચો, વિજય રૂપાણીની સામે કેવા-કેવા પડકારો છે. ક્લિક કરો