નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન સુનિતા કેજરીવાલે આવકવેરા અધિકારીપદેથી રાજીનામું આપી દીધું છે. જેને સ્વીકારી લેવામાં આવ્યું છે. એક ચર્ચા પ્રમાણે, સુનિતા કેજરીવાલને પંજાબમાં મુખ્યપ્રધાનપદનો ચહેરો બનાવવામાં આવશે. સુનિતા કેજરીવાલે આપ્યું રાજીનામું...
- આવકવેરા વિભાગના અધિકારીપદેથી સુનિતા કેજરીવાલે આપેલું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.
- મળતી માહિતી પ્રમાણે, ઇન્ક્મ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં શુક્રવારે તેમનો નોકરી પર છેલ્લો દિવસ છે.
- સરકારી નિયમ પ્રમાણે, સુનિતા કેજરીવાલ એક વર્ષ સુધી ખાનગી નોકરી નહીં કરી શકે. આ દરમિયાન જો તેઓ સરકારી નોકરી કરવા માંગે તો તેમણે સરકારની મંજૂરી લેવી પડશે.
- સુનિતાએ 22 વર્ષ સુધી આવકવેરા વિભાગમાં નોકરી કરી હતી.
- કેજરીવાલના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સુનિતા કેજરીવાલ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી આશંકા હતી.
- એટલે જ અરવિંદ કેજરીવાલે સાવચેતીના પગલારૂપે સુનિતા કેજરીવાલને રાજીનામું આપી દેવા કહ્યું હતું.
- મળતી માહિતી પ્રમાણે, ઇન્ક્મ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં શુક્રવારે તેમનો નોકરી પર છેલ્લો દિવસ છે.
- સરકારી નિયમ પ્રમાણે, સુનિતા કેજરીવાલ એક વર્ષ સુધી ખાનગી નોકરી નહીં કરી શકે. આ દરમિયાન જો તેઓ સરકારી નોકરી કરવા માંગે તો તેમણે સરકારની મંજૂરી લેવી પડશે.
- સુનિતાએ 22 વર્ષ સુધી આવકવેરા વિભાગમાં નોકરી કરી હતી.
- કેજરીવાલના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સુનિતા કેજરીવાલ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી આશંકા હતી.
- એટલે જ અરવિંદ કેજરીવાલે સાવચેતીના પગલારૂપે સુનિતા કેજરીવાલને રાજીનામું આપી દેવા કહ્યું હતું.
પંજાબના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર?
- અંગ્રેજી અખબાર 'એશિયન એજ' એ શક્યતા વ્યક્ત કરી છે કે સુનિતા કેજરીવાલને પંજાબમાં મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવે તેવી શક્યતા છે
- કારણ કે, હાલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીના વિજયની પ્રબળ સંભાવનાઓ છે, પરંતુ તેમની પાસે મુખ્યપ્રધાનપદનો ચહેરો નથી.
- જો સુનિતા કેજરીવાલનું નામ આગળ કરવામાં આવે તો આપના કાર્યકરોમાં ઉત્સાહનો બમણો સંચાર થશે અને પંજાબનો કોઈ નેતા કે કાર્યકર કેજરીવાલની પસંદને નકારી નહીં શકે.
- હંમેશા ' પરિવારવાદ ' નો વિરોધ કરતા કેજરીવાલ માટે સુનિતાને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર બનાવવા મુશ્કેલ હશે.
- કારણ કે, સુનિતા કેજરીવાલ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા નથી. ઉપરાંત આપ કાર્યકરો પર તેમને 'થોપવા'માં આવશે.