2016નું વર્ષ આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે ઊજવાઇ રહ્યુ છે ત્યારે સંશોધન ખૂબ મહત્ત્વનું
|
|
દેશમાંકઠોળનું ઉત્પાદન વધે તે માટે પ્રયાસો કરાઇ રહ્યા છે અને 2016નું વર્ષ આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે, ત્યારે વડોદરાના મોડેલ ફાર્મમાં કઠોળ સંશોધન માટે વિસ્તૃત કાર્ય શરૂ કરાયુ છે. વડોદરાના મોડેલ ફાર્મમાં તુવેર અને મગની નવી જાત વિકસાવાઇ હોવાનું આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.એન.સી.પટેલે જણાવ્યું હતું. વડોદરાના મોડેલ ફાર્મમાં નવા હોર્ટિકલ્ચર બિલ્ડિંગના ઉદ્ઘાટન સમયે આવેલા આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.એન.સી.પટેલે જણાવ્યું હતું કે આપણા દેશમાં શાકાહારી વ્યક્તિએ રોજ પોતાના આહારમાં સરેરાશ 30 ટકા પ્રોટીન લેવું જોઇએ અને કઠોળમાં 55 ટકા પ્રોટીન મળે છે. કઠોળથી મગજનો સંતુલિત વિકાસ થાય છે. દેશમાં પ્રત્યેક વર્ષે 12થી 13 મિલિયન ટન કઠોળ આયાત કરવું પડે છે. કઠોળની અગત્યતા જોતાં 2016ના વર્ષને આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના પગલે કઠોળમાં નવાં સંશોધન કરાઇ રહ્યાં છે. પ્રગતિશીલ ખેડૂતો અને વડોદરાના મોડેલ ફાર્મમાં હાલ તુવેર અને મગની નવી જાતનું ઉત્પાદન કરી રહ્યાં હોવાની માહિતી તેમણે આપી હતી. ડો.એન.સી.પટેલે જણાવ્યું હતું કે બોઇસ્ટર મશરૂમ સહેલાઇથી ઉગે છે . નાના રૂમમાં પણ બોઇસ્ટર મશરૂમ સહેલાઇથી ઉગે છે. જો નાના અને સીમાંત ખેડૂતો મશરુમનું ઉત્પાદન શરૂ કરે તો તેમની આવક પણ વધી શકે છે અને સાથે સાથે તેમને પોષણક્ષમ આહાર પણ મળી શકે છે. મશરૂમના ઉત્પાદન માટે પ્રોત્સાહન પણ અપાઇ રહ્યું છે.તેમણે જણાવ્યું હતું કે કૃષિ સંશોધન માટે વિદેશની યુનિવર્સિટીઓ સાથે જોડાણ કરવામાં આવ્યું છે અને સ્ટુડન્ટ એકસચેન્જ અને ફેકલ્ટી એકસચેન્જ પ્રોગ્રામ ચલાવાઇ રહ્યા છે. હાલ કૃષિ યુનિવર્સિટીમાં 10 જેટલા વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. વડોદરામાં તુવેર-મગની નવી જાત વિકસાવાઇ |