જગન્નાથની રથાયાત્રામાં પ્રસાદનું મહત્વ ખાસ છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ જાંબુ અને મગનો પ્રસાદ જગતના નાથ તેવા ભગવાન જગન્નાથની નગરયાત્રા એટલે કે રથયાત્રા દરમિયાન આપવામાં આવે છે. અને તેનું એક આગવું મહત્વ પણ છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથને ખાસ પ્રસાદ ચઢાવવામાં આવે છે. સાથે જ ભાઇ બલરામ અને બહેનને પણ ભોગ ચઢાવવામાં આવે છે. આ માટે ભગવાનના મોસાળમાં અઠવાડિયા પહેલાથી જ તૈયારીઓ કરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને ભગવાન જગન્નાથની યાત્રા દરમિયાન ભગવાનને કેવા કેવા ભોગ ચઢાવવામાં આવે છે. તથા કેમ રથયાત્રા દરમિયાન ભક્તોને લીલા મગ અને જાંબુનો પ્રસાદ ચઢાવવામાં આવે છે તે વિષે કેટલીક રસપ્રદ માહિતી આપવાના છીએ. તો જાણો આ પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ અહીં..
ભક્તોની લાઇન નોંધનીય છે કે ભગવાન બાદ ભક્તોને આપવામાં આવતા આ પ્રસાદનું અતિશય માહાત્મય હોવાથી ભક્તજનો સવારથી જ તે લેવા માટે લાઇનો લગાવતા હોય છે
ભક્તોની લાઇન નોંધનીય છે કે ભગવાન બાદ ભક્તોને આપવામાં આવતા આ પ્રસાદનું અતિશય માહાત્મય હોવાથી ભક્તજનો સવારથી જ તે લેવા માટે લાઇનો લગાવતા હોય છે