રોગચાળો નિયંત્રણમાં હોવાનો દાવો : પાણીની અને ગટરની લાઇનો એક થવાથી લોકો પ્રદૂષિત પાણી પીવા મજબૂર છતાં તંત્રનો સબસલામતનો દાવો
અમદાવાદ, તા.૧૧ : અમદાવાદ શહેરમાં હવે બદલાયેલા તાપમાનની વચ્ચે આヘર્યજનકરીતે રોગચાળો નિયંત્રણમાં હોવાનું ચિત્ર સત્તાવાળાઓ દ્વારા બતાવવામાં આવ્યું છે. શહેરમાં આ મહિનામાં અત્યારસુધીમાં ઝાડા ઉલ્ટીના કુલ ૨૯૮ કેસો જ્યારે કમળાના ૬૮ અને ટાઇફોઇડના ૬૨ કેસ બન્યા હોવાનું કહેવાયું છે. બીજી તરફ સાદા મલેરિયાના ૯૧ કેસ, ઝેરી મેલેરિયાના બે કેસ અને ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો હોવાનું કહેવાયું છે. આ આંકડા કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોના છે. જો આ આંકડાઓમાં અન્ય ખાનગી હોસ્પિટલોના આંકડા ઉમેરવામાં આવે તો આ આંકડો હજુ પણ વધુ થઇ શકે તેમ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરમાં કોટ વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં ઠેર ઠેર પીવાના પાણીની લાઈન અને ગટરની લાઇન એક થઇ જતી હોવાના કારણે લોકો પ્રદૂષિત પાણી પીવા મજબૂર બની ગયા છે.આ અંગે શહેરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. તેમણે લખેલા પત્રમાં પ્રદૂષિત પાણી પીવાના કારણે કમળાના રોગથી બે લોકોના મોત થયા હોવાનું પણ કહ્યું છે. આ સાથે જ તેમણે વર્ષો જુની લાઇનો બદલવા ઉપર ખાસ ભાર મુક્યો છે. આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને લઇને જે સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે તેમાં શહેરમાં રોગચાળો નિયંત્રણમાં હોવાનું બતાવવામાં આવ્યું છે જેને લઇને અનેક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. શહેરના ખાનગી દવાખાનાઓમાં મેલેરિયા સહિતના રોગના દર્દીઓના કેસ ઉત્તરોત્તર વધી રહ્યા છે.
આરોગ્ય વિભાગના પગલા
અમદાવાદ, તા. ૧૧ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.