નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મંગળવારે સાતમા પગારપંચ અંગે પરિપત્ર બહાર પડ્યો છે. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને ઓગસ્ટ મહિનાથી જ પગાર વધારો મળવાની શક્યતા છે.
જૂનમાં ભલામણોને મળી હતી લીલી ઝંડી
- સરકારે જૂનમાં સાતમા પગારપંચની ભલામણોને મંજૂરી આપી દીધી હતી.
- અરુણ જેટલીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, તેનાથી કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર રૂ. 7 હજારથી 18 હજાર વધી જશે.
- જેટલીએ એ પણ કહ્યું હતું કે, તમામ વર્ગના કર્મચારીનો બેઝિક પગાર 2.52 ગણો વધશે.
- સરકારે જાહેરાત કરી કે, સીબીએસઈ ચીફ રાજેશ કુમાર ચતુર્વેદીને સાતમા પગારપંચની અમલીકરણ એકમના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.
- સીબીએસઈ ચીફ બન્યા તે પહેલા રાજેશ એકમમાં સંયુક્ત સચિવ રહ્યા હતા.
- જેટલીએ એ પણ કહ્યું હતું કે, તમામ વર્ગના કર્મચારીનો બેઝિક પગાર 2.52 ગણો વધશે.
- સરકારે જાહેરાત કરી કે, સીબીએસઈ ચીફ રાજેશ કુમાર ચતુર્વેદીને સાતમા પગારપંચની અમલીકરણ એકમના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.
- સીબીએસઈ ચીફ બન્યા તે પહેલા રાજેશ એકમમાં સંયુક્ત સચિવ રહ્યા હતા.
સાતમા પગાર પંચમાં શું?
- 1 જાન્યુઆરી, 2016થી ભલામણો લાગૂ થશે. ફાયદો કેન્દ્ર સરકારના 47 લાખ કર્મચારી અને 53 લાખ પેન્શનર્સને મળશે.
- જૂન સુધીનું 6 મહિનાનું એરિયર્સ સરકાર માર્ચ 2017 પહેલા જ આપી દેશે.
69 વર્ષમાં 327 ગણો વધ્યો પગાર
- પગારપંચનો ઈતિહાસ 69 વર્ષ જુનો છે.
- 1947માં બનેલા પ્રથમ પગારપંચે ઓછામાં ઓછો પગાર 55 રૂપિયા નક્કી કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી કર્મચારીનો પગાર 327 ગણો વધી ચૂક્યો છે.
70 વર્ષમાં સૌથી ઓછા વધારાની ભલામણ, પ્રથમ પંચમાં 10 રૂપિયા વધ્યો હતો પગાર
- બેઝિક પગાર મામલે આ 70 વર્ષમાં સૌથી ઓછા વધારાની ભલામણ છે. કારણ કે આ વખતે 16 ટકા વધારાની વાત કહેવામાં આવી છે. જ્યારે છઠ્ઠા પગારપંચમાં બેઝિક પગાર 20 ટકા વધારવાની ભલામણ કરવામાં આવી હતી.
- પહેલા તે પંચમાં રેલવેના ક્લાસ-4 કર્મચારીનાં પગાર 10 રૂપિયાથી 30 રૂપિયા સુધી વધારવામાં આવ્યા હતા.