વિસનગર:વિસનગરમાં નીકળેલ પાટીદાર અનામત રેલી બાદ થયેલ તોફાન કેસમાં સોમવારના રોજ હાર્દિક પટેલને હાજર કરાયો હતો જેમાં હાર્દિકે ચંપાવતે કરેલ ખુલાસામાં 25 ટકા સાચા અને 75 ટકા ખોટા હોવાનું જણાવ્યું હતું. જ્યારે વધુમાં તેમણે મારા માટે બંધારણ મહાન છે અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું. કોર્ટે આ કેસમાં આગામી 18 જુલાઇની મુદત આપી હતી.
-વિસનગર કોર્ટમાં હાજર કરાયેલ હાર્દિક પટેલે ચંપાવતે કરેલ ખુલાસા 25 ટકા જ સાચા જ્યારે 75 ટકા ખોટા હોવાનું જણાવ્યું
વિસનગરમાં ગત જુલાઇ માસમાં નીકળેલ પાટીદાર અનામત સમિતિની રેલી બાદ થયેલ ધારાસભ્ય કાર્યાલયના તોડફોડ કેસમાં સોમવારના રોજ પાટીદાર અનામત સમિતિના કન્વીનર હાર્દિક પટેલને હાજર કરવામાં આવ્યો હતો જેમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે મારા માટે બંધારણ મહાન છે અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે જ્યારે ચંપાવતે કરેલા ખુલાસામાં હાર્દિક પટેલે તેના ખુલાસા 25 ટકા સાચા છે જ્યારે 75 ટકા ખોટા હોવાનું જણાવ્યું હતું.
જ્યારે આ કેસમાં કોર્ટમાં હાજર એસપીજી અધ્યક્ષ લાલજીભાઇ પટેલે તેમના ઉપર થતા આક્ષેપો વિશે જણાવ્યું હતું કે સમાજનું કામ કરતા હોય ત્યારે આક્ષેપો થવાના અમે એવા આક્ષેપોથી ડરતા નથી સમાજનું જે રીતે કામ ઉપાડેલુ છે જેમાં સફળતા મળે ત્યાં ચાલુ રાખીશું. આ કેસમાં કોર્ટે 18મી જુલાઇના રોજ મુદત રાખવામાં આવી છે. આ અંગે હાર્દિક પટેલના વકીલ રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કેસમાં અમુક આરોપીઓ હાજર ન રહેતાં કોર્ટની કાર્યવાહી થઇ શકી ન હતી અને આ કેસમાં આગામી 18 જુલાઇના રોજ મુદત રાખવામાં આવી છે.