ATMમાંથી નકલી નોટ નિકળે તો મુંઝાશો નહિ, અપનાવો આ રીત તો થશે ફાયદો.
જો એટીએમમાંથી રોકડ ઉપાડતા સમયે તમને લાગે કે નકલી નોટ આવી ગઈ છે તો તમે એટીએમમાં હાજર ગાર્ડને તેના વિશે ફરિયાદ કરી શકો છો. આંધ્રા બેંકના એક વરિષ્ઠ મેનેજેરે ભાસ્કરને જણાવ્યું કે, દરેક એટીએમમાં ગાર્ડની પાસે એક રજિસ્ટર હોય છે જેના પર તમે નોટનો નંબર, ટ્રાન્ઝેક્શન આઈડી નંબર, તારીખ અને સમય લખીને સાઈન કરવાની હોય છે. તમે તે રજિસ્ટર પર ગાર્ડની સાઈન પણ લઈ લ્યો. ત્યાર બાદ તમારી ફરિયાદની એક તસવીર મોબાઈલ દ્વારા લો અને તેને જે બ્રાંચ સાથે એટીએમ કનેક્ટેડ છે ત્યાં જઈને મેનેજરની પાસે જઇને તમારી વાત કહો અને લેખિતમાં ફરિયાદ નોંધાવો.
નવી દિલ્હીઃ એટીએમથી નકલી નોટ નીકળવાની ફરિયાદ અવારનવાર દરરોજ સાંભળવા મળતી હોય છે. પ્રથમ તો બેંક એટીએમમાંથી નકલી નોટ આવવાની વાત સ્વીકારતી નથી હોતી, જેના કારણે ગ્રાહકોએ નુકસાન ઉઠાવવું પડતું હોય છે. ઉપરાંત ઘણી વખત એટીએમમાંથી ફાટેલી કે સ્ટેપલ લાગેલ નોટ પણ નીકળતી હોય છે જેનાથી મુશ્કેલી થાય છે. તમે આ રીતને ફોલો કરીને સરળતાથી આ પ્રકારના થનારા નુકસાનથી ખુદને બચાવી શકો છો.
નકલી નોટ બહાર આવવા પર એટીએમ ગાર્ડનો સંપર્ક કરો
જો એટીએમમાંથી રોકડ ઉપાડતા સમયે તમને લાગે કે નકલી નોટ આવી ગઈ છે તો તમે એટીએમમાં હાજર ગાર્ડને તેના વિશે ફરિયાદ કરી શકો છો. આંધ્રા બેંકના એક વરિષ્ઠ મેનેજેરે ભાસ્કરને જણાવ્યું કે, દરેક એટીએમમાં ગાર્ડની પાસે એક રજિસ્ટર હોય છે જેના પર તમે નોટનો નંબર, ટ્રાન્ઝેક્શન આઈડી નંબર, તારીખ અને સમય લખીને સાઈન કરવાની હોય છે. તમે તે રજિસ્ટર પર ગાર્ડની સાઈન પણ લઈ લ્યો. ત્યાર બાદ તમારી ફરિયાદની એક તસવીર મોબાઈલ દ્વારા લો અને તેને જે બ્રાંચ સાથે એટીએમ કનેક્ટેડ છે ત્યાં જઈને મેનેજરની પાસે જઇને તમારી વાત કહો અને લેખિતમાં ફરિયાદ નોંધાવો.